Connect Gujarat
Featured

દાહોદ : એક જ પરિવારના 5 સભ્યનો સામૂહિક આપઘાત, આર્થિક સંકળામણમાં આવી પગલું ભર્યું હોવાનું અનુમાન

દાહોદ : એક જ પરિવારના 5 સભ્યનો સામૂહિક આપઘાત, આર્થિક સંકળામણમાં આવી પગલું ભર્યું હોવાનું અનુમાન
X

દાહોદ જિલ્લાના ગોધરા રોડ નજીક રહેતા વેપારી સહિત પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાત કરી લીધો હતો, ત્યારે બનાવની જાણ થતાં જ દાહોદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઈબાગમાં રહેતા વેપારીએ પત્ની અને 3 દીકરી સહિત ગત રાત્રિના સમયે સામૂહિક આપઘાત કર્યો હતો, ત્યારે બનાવના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દાહોદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં FSLની પણ મદદ લઈ પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કરતા સુજાઈબાગના લોકો સ્તબ્ધ થઇ ગયા હતા, ત્યારે પરિવારના 5 સભ્યોએ આર્થિક સંકળામણમાં આવી આપઘાત કર્યો હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસ દ્વારા મૃતકોના પરિવાર અને આસપાસમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. હાલ પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કરવાનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story