Connect Gujarat
Featured

દાહોદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનનો લોકોને સંદેશ, મનુષ્યમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ જ હાલ “વેક્સિન”

દાહોદ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનનો લોકોને સંદેશ, મનુષ્યમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ જ હાલ “વેક્સિન”
X

ગત શનિવારે દાહોદમાં યોજાયેલ યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ દાહોદવાસીઓને કોરોના સંદર્ભે એક સુંદર સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, કોરોના સામેની વેક્શિન શોધાઇ નથી, ત્યારે આપણી રહેલી રોગપ્રતિકારક શક્તિ જ હાલ આપણી વેક્સિન છે. યોગ એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેનો રામબાણ ઇલાજ છે.

શીશપાલજીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારી સામે યોગ ખૂબ જ અસરકારક છે. ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. જેનો ઉદ્દેશ છે કે, જનજન સુધી યોગનો સંદેશ પહોંચે અને ઘરે ઘરે લોકો યોગ કરતા થાય. જે માટે ગુજરાતભરમાં યોગ સંવાદ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોનાના કપરા સમયમાં પણ સામાજિક અંતર-માસ્ક વગેરે નિયમો સાથે યોગ ટ્રેનરો લોકોને યોગ બાબતે જાગૃત કરી રહ્યાં છે. અત્યારના સમયમાં લોકો યોગ અપનાવે તેની તાતી જરૂરીયાત વર્તાઇ રહી છે. કોરોના સામે બચાવ માટે યોગ-પ્રાણાયામ ભારે ઉપયોગી છે. ભસ્ત્રિકા-કપાલભારતી-અનુલોમ વિલોમ પ્રાણાયામ, વ્યાયામ અને આસનો દ્વારા લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે છે.

આ ઉપરાંત આયુષ મંત્રાલયે સૂચવેલા આયુર્વેદના ઉપાયો, ગરમ પાણીનો ઉપયોગ વગેરે પોતાના રોજિંદા જીવનમાં અપનાવીને કોરોનાથી બચી શકાય છે. આ બધા ઉપાયોથી રોગપ્રતિકારક શક્તિમાં પણ નોંધપાત્ર વધારો થાય છે. જે કોરોના સામે લડવામાં મદદગાર સાબિત થાય છે. જ્યાં સુધી કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી તમારી અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિ જ વેક્સિનનું કામ કરશે. યોગ એ મનુષ્યમાં રહેલી ઇમ્યુનિટી વધારવા માટે રામબાણ ઇલાજ સાબિત થયું છે.

Next Story