Connect Gujarat
દેશ

દિલ્હી : AAP ના જીતનો જશ્ન ફેરવાયો માતમમાં, જીતની ઉજવણી કરવા નીકળેલા કાર્યકર પર ફાયરિંગ થતાં 1નું મોત

દિલ્હી : AAP ના જીતનો જશ્ન ફેરવાયો માતમમાં, જીતની ઉજવણી કરવા નીકળેલા કાર્યકર પર ફાયરિંગ થતાં 1નું મોત
X

દિલ્હી વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર વિજય

મેળવ્યા ધારાસભ્ય નરેશ યાદવ દક્ષિણપશ્ચિમ દિલ્હીમાં તેમના સમર્થકો સાથે ઘરે ફરત

ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે ગોળીબાર કરતા એક આપ કાર્યકરનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આપના ધારાસભ્ય નરેશ યાદવે જીત બાદ મંદિરે દર્શન કરી કાફલા સાથે

પરત ફરી રહ્યા હતા ત્યારે ફયારિંગની ઘટના ઘટી હતી. અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલા

ફાયરિંગમાં એક કાર્યકરનું મોત થયું હોવાનું આપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું.

ફાયરિંગની ઘટના કિશનગઢ ગામ નજીક

બની હતી. પોલીસના જણાવ્યા મુજબ તેમણે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે અને

તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે આ મામલો વ્યક્તિગત દુશ્મનાવટનો હોવાનું

જણાય છે. સૂત્રોના મતે ધારાસભ્યના કાફલા પર સાત રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. આ

ઘટનામાં અન્ય એક શખ્સ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.આપના નેતા સંજય

સિંહે મૃત્યુ પામેલા કાર્યકરની ઓળખ અશોક માન તરીકે કરી હતી.

Next Story