દિલ્હી: ABVPની રાષ્ટ્રીય મહાસચિવ નિધિ ત્રિપાઠીએ કહ્યું, JNUના કેમ્પસમાં થયેલ હુમલો નક્સલી હુમલો હતો
દિલ્હી પોલીસે સોમવારે JNU સ્ટુ઼ડન્ટ યુનિયનની અધ્યક્ષ
આઇશી ઘોષ, પંકજ અને વાસ્કર વિજય
સાથે JNU કેમ્પસમાં થયેલી હિંસા મામલે પૂછપરછ કરી હતી. બીજી તરફ ABVPની રાષ્ટ્રીય મહાસચિવ
નિધિ ત્રિપાઠીએ કહ્યું આ તદ્દન ખોટું
છે કે JNUમાં વિદ્યાર્થીઓનું
પ્રદર્શન માત્ર ફી વધારાને લઇને કરવામાં આવેલું હકીકતમાં આ JNU પર નક્સલી હુમલો હતો.
નિધિ ત્રિપાઠીએ વધુમાં કહ્યું JNU હિંસાને લઇને બધી જગ્યાએ ચર્ચા થઇ રહી છે પરંતુ માત્ર 5 જાન્યુઆરીના રોજ થયેલી ઘટનામાં ભડકેલ હિંસક ઘટનાક્રમ સુધી જ તેને સીમિત કરી દેવામાં આવ્યું છે. આ મામલાને સમગ્ર રીતે જોવા માટે એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે આખરે 28 ઓક્ટોબર 2019થી લઇને 5 જાન્યુઆરી 2020 સુધી કેમ્પસમાં શું શું બન્યું હતું.
સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 9 પર કેસ દાખલ
દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુશાર JNUમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસાના મામલામાં નવ લોકોને આજથી તપાસમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે.પોલીસે સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 9 પર કેસ દાખલ કર્યો હતો. હિંસામાં સામેલ બે બુકાનીધારી લોકો સાથે દેખાયેલી મહિલાની ઓળખાણ દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની તરીકે કરવામાં આવી છે. હિંસાની તપાસ કરી રહેલી SIT સોમવારે આ વિદ્યાર્થીનીને નોટિસ મોકલશે અને તેને તપાસમાં સામેલ થવા અંગે તેમજ બે બુકાનીધારીઓની ઓળખ કરવા માટે કહેશે.