દિલ્હીહિંસા: અમર્ત્ય સેને કહ્યું - પોલીસ રહી નિષ્ફળ, અલ્પસંખ્યકો પર થયો અત્યાચાર
BY Connect Gujarat1 March 2020 8:47 AM GMT
X
Connect Gujarat1 March 2020 8:47 AM GMT
ભારત રત્ન અમર્ત્ય સેને કહ્યું કે, દિલ્હીમાં હિંસા એ ખૂબ જ ચિંતાજનક છે. પશ્ચિમ બંગાળના બોલપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી જેવી હિંસામાં લઘુમતી સમુદાયોના લોકોને સૌથી વધુ મારપીટ અને વેદનાનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે, આ સમય દરમિયાન બાળકો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડે છે અને તેઓ હિંસાનો ભોગ બને છે.
નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જણાવ્યું હતું કે તે દિલ્હીમાં શિક્ષક રહી ચૂક્યા છે અને તે જ વિસ્તારોમાં રહેતા હતા જ્યાં હિંસા થઈ છે.
Next Story