Connect Gujarat
દેશ

દિલ્હી હિંસા: કેજરીવાલ સરકાર આજથી અસરગ્રસ્ત પરિવારોને કરશે મદદ, ચૂકવશે યોગ્ય વળતર

દિલ્હી હિંસા: કેજરીવાલ સરકાર આજથી અસરગ્રસ્ત પરિવારોને કરશે મદદ, ચૂકવશે યોગ્ય વળતર
X

દિલ્હીના

ઉત્તર-પૂર્વી વિસ્તારોમાં હિંસા ફાટી નીકળ્યા પછી પરિસ્થિતિ દિવસેને દિવસે સુધરી

રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં શાંતિ છે અને જીવનને સામાન્ય બનાવવાના

પ્રયાસો ચાલુ છે. હિંસામાં જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું છે. આ હિંસામાં

અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે તમામ લોકોના ઘરો અને ધંધા પણ

હિંસામાં સ્વાહા થઈ ચૂક્યા છે.

દિલ્હીની નવી

ચૂંટાયેલી સરકારે આ હિંસામાં પીડિતોનાં પરિવારને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી

છે. ગઇકાલથી ફોર્મ પ્રક્રિયા શરૂ કર્યા બાદ કેજરીવાલ સરકાર આજથી પીડિત પરિવારોને

સહાય આપવાની શરૂઆત કરશે.

Next Story