દિલ્હી હિંસા: કેજરીવાલ સરકાર આજથી અસરગ્રસ્ત પરિવારોને કરશે મદદ, ચૂકવશે યોગ્ય વળતર
BY Connect Gujarat1 March 2020 9:03 AM GMT
X
Connect Gujarat1 March 2020 9:03 AM GMT
દિલ્હીના
ઉત્તર-પૂર્વી વિસ્તારોમાં હિંસા ફાટી નીકળ્યા પછી પરિસ્થિતિ દિવસેને દિવસે સુધરી
રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં શાંતિ છે અને જીવનને સામાન્ય બનાવવાના
પ્રયાસો ચાલુ છે. હિંસામાં જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું છે. આ હિંસામાં
અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે તમામ લોકોના ઘરો અને ધંધા પણ
હિંસામાં સ્વાહા થઈ ચૂક્યા છે.
દિલ્હીની નવી
ચૂંટાયેલી સરકારે આ હિંસામાં પીડિતોનાં પરિવારને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી
છે. ગઇકાલથી ફોર્મ પ્રક્રિયા શરૂ કર્યા બાદ કેજરીવાલ સરકાર આજથી પીડિત પરિવારોને
સહાય આપવાની શરૂઆત કરશે.
Next Story