Connect Gujarat
ધર્મ દર્શન 

અમદાવાદ : મંદિરની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો કારસો, 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ 4 લોકો સામે છેતરપિંડીની નોંધાવતા ચકચાર મચી છે.

અમદાવાદ : મંદિરની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો કારસો, 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ
X

અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ 4 લોકો સામે છેતરપિંડીની નોંધાવતા ચકચાર મચી છે. ઘોડાસર સ્મૃતિ મંદિરની પાસે આવેલી જમીન પચાવી પાડવાના ઇરાદાથી આ ચારેય શખ્સોએ ખોટા વેચાણ-કરાર કરાવી પાવર ઓફ એટર્ની આધારે વેચાણ કર્યું હતું. એટલું જ નહી, મંદિરના ટ્રસ્ટની ઓફિસ ખાતે જઈને ટ્રસ્ટીને અને સંતો-મહંતોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

બનાવની મળતી માહિતી અનુસાર, મણિનગર સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી હરજીવન પટેલ મણિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપી તુષાર પટેલ, શમીમબાનુ અન્સારી, મઝહર અબ્બાસ બુખારી અને સહેનાજ બાનુ બુખારી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, સ્વામિનારાયણ ટ્રસ્ટની માલિકીની જમીન ઘોડાસરમાં સ્મૃતિ મંદિર પાસે આવેલી છે. જે જમીનમાં આ આરોપીએ ખોટા હક દાવા લખાણ ઊભા કરી જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. તેમજ હરજીવન પટેલને સમાધાન કરવા માટે ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

હરજીવન પટેલને થોડા સમય પહેલા જાણ થઈ હતી કે, જમીનના મૂળ માલિકોને નામની પાવર ઓફ એટર્ની કોઈ વલી મોહમ્મદ શેખ નામના વ્યક્તિએ બનાવીને તેનો ઉપયોગ કર્યો હતો. મૂળ ખેડૂતો પૈકી ફક્ત 3 બહેનોના ભાગની જમીન બાબતે આરોપી તુષાર પટેલે પોતાના નામે રજિસ્ટર વેચાણ કરાર કરાવી બોગસ કાર્યવાહી કરી રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવી છે. ત્યારબાદ તુષાર પટેલ ટ્રસ્ટની ઓફિસ આવી વેચાણ કરાર બતાવી મૂળ ખેડૂત બહેનોના ભાગની જમીન પોતે ખરીદી છે, તેવું કહીને બહેનોના ભાગની જમીન પડાવી લેવા માટે ધમકીઓ આપતો હતો. આથી હરજીવન પટેલે તપાસ કરતા આરોપીઓએ ભેગા મળીને અલગ અલગ ખોટા દસ્તાવેજો ઉભા કર્યા હોવાનું ભોપાળું છતું થયું હતું, અને મૂળ સાત ખેડૂતો પૈકી ફક્ત 3 બહેનોની આંશિક પાવર વાપરી ફક્ત બહેનોના ભાગ પૂરતી જમીનનો વેચાણ કરાર તુષાર પટેલે કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

Next Story