જાન્યુઆરીમાં ખોડલધામની 5 વર્ષની ઉજવણી,પીએમ મોદી હાજર રહે એવી શકયતા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક સમાજ પોતપોતાના કદ અને કક્ષા પ્રમાણે શક્તિપ્રદર્શન યોજીને ચૂંટણીમાં અગ્રિમ ભૂમિકા ભજવવાનો કારસો ઘડી રહ્યા છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક સમાજ પોતપોતાના કદ અને કક્ષા પ્રમાણે શક્તિપ્રદર્શન યોજીને ચૂંટણીમાં અગ્રિમ ભૂમિકા ભજવવાનો કારસો ઘડી રહ્યા છે ત્યારે લેઉવા પટેલ જ નહીં, અન્ય અનેક સમાજના આસ્થાના પ્રતીક સમા ખોડલધામમાં વધુ એક મોટો ધાર્મિક પ્રસંગ રાખવાની તૈયારી શરૂ થઈ છે. હવે જો કોરોના ગાઈડલાઈન હળવી થશે તો નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ખોડલધામ ખાતે પાટીદાર પાવર શો થશે અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રાખવાનાં ચક્રો ગતિમાન થયાં છે.રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ આ પ્રકારના ધાર્મિક મેળાવડા મારફત પાટીદારોનું શક્તિપ્રદર્શન યોજીને રાજકીય કદ વધારવાનું ગણિત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલા અને દેશભરનાં જાણીતાં ધર્મસ્થાનોની યાદીમાં સ્થાન મેળવનારા લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીકસમું ખોડલધામ તૈયાર થયું હતું. 21 જાન્યુઆરી 2016ના રોજ રેકોર્ડબ્રેક લોકોની હાજરી વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેને આગામી 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં હોવાથી પાટોત્સવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં મોટી વસતિ ધરાવતા લેઉવા પટેલ સમાજના લાખો લોકો ખોડલધામના કોઈપણ ધાર્મિક પ્રસંગમાં ઊમટી પડતા જ હોય છે.21મી જાન્યુઆરીના પાટોત્સવમાં પણ ઊમટી પડવાનું સ્પષ્ટ છે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ખોડલધામના ટ્રસ્ટીઓએ ત્રણ મીટિંગ પણ કરી લીધી છે. એટલું જ નહીં, ખોડલધામના પ્રણેતા અને ચેરમેન નરેશ પટેલે અમરેલી, જૂનાગઢ તથા જામનગર જિલ્લાઓનો પ્રવાસ પણ કરી લીધો છે. આવવારા દિવસોમાં અન્ય જિલ્લાઓ તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોની મુલાકાત લઈને તૈયારીઓને આગળ ધપાવશે એવા નિર્દેશ છે.નરેશ પટેલે સૌરષ્ટ્રનો પ્રવાસ પણ શરુ કરી દીધો છે