Connect Gujarat
સમાચાર

બાપાના ઉત્સવ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, 'લાલબાગ ચા રાજા'ની સ્થાપના નહી થાય

બાપાના ઉત્સવ પર લાગ્યું કોરોનાનું ગ્રહણ, લાલબાગ ચા રાજાની સ્થાપના નહી થાય
X

કોરોના વાઇરસની મહામારીની અસર આ વર્ષ ગણપતિ ઉત્સવ પર પણ જોવા મળી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ ગણપતિ મંડળ લાલાબાગ ચા રાજા આ વર્ષ બાબાની સ્થાપના કે વિસર્જન ઉત્સવ મનાવશે નહીં. લાલાબાગ ગણપતિ મંડળે કોરોના વાઇરસના ખતરાને લઈ આ નિર્ણય લીધો છે.

ગણેશજીનો તહેવાર એટલે ગણેશ ચતુર્થી અને ગણેશ ચતુર્થી પર ખાસ કરીને લાલ બાગ ચા રાજાના દર્શનનું મહત્વ કાંઈ અલગ જ હોય છે. સમગ્ર દેશમાં મુંબઈમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર છે. જેને લઈ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે બધા જ મંડળોને આદેશ આપ્યો છે કે, આ વર્ષ ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ ન મનાવવામાં આવે, કારણ કે, ગણપતિ ઉત્સવમાં મોટી માત્રામાં લોકો એકઠા થાય છે. ગણપતિ ઉત્સવમાં ગણપતિની મૂર્તિની ઉંચાઈ 4 ફીટ સુધી રાખવામાં આવશે.

મંડળે જણાવ્યાં મુજબ, આ વખતે 11 દિવસ બ્લડ ડોનેશન અને પ્લાઝ્મા થેરાપી કેમ્પ યોજાશે. સરકારના આ નિર્ણય બાદ બધા જ ગણપતિ મંડળોએ 2 મૂર્તિઓ બનાવવાનો નિર્ણય લીધો છે. એક મોટીની મૂર્તિ અને એક નાની મૂર્તિ બનાવવામાં આવશે.લાલબાગ મંડળના અગ્રણીઓનું કહેવું છે કે, ગણપતિની લંબાઈ ઓછી ન થઈ શકે. જો નાની મૂર્તિ પણ લાવવામાં આવે તો પણ મોટી માત્રામાં લોકો એકઠા થશે, ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ આ વર્ષ કોઈ મૂર્તિ સ્થાપના કે વિસર્જન કરવામાં આવશે.

Next Story