Connect Gujarat
મનોરંજન 

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનું નિધન...

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્માતા નીતિન મનમોહનનું આજે એટલે કે 29મી ડિસેમ્બરે નિધન થયું છે.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનું નિધન...
X

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્માતા નીતિન મનમોહનનું આજે એટલે કે 29મી ડિસેમ્બરે નિધન થયું છે. તાજેતરમાં જ નીતિન મનમોહનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે નિર્માતાને 3 ડિસેમ્બરની સાંજે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને મુંબઈની કોકિલા ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે, જેના કારણે નીતિન મનમોહનને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

નીતિન મનમોહનનો દીકરો સોહમ દુબઈમાં રહે છે. તે ત્રણ નવેમ્બરના રોજ ભારત આવ્યો ત્યારથી તે સતત હોસ્પિટલમાં પિતાની સારવાર કરતા હતા.

નીતિન મનમોહન હોસ્પિટલમાં એડમિટ હતા ત્યારે એક્ટર અક્ષય ખન્ના હોસ્પિટલમાં આવ્યા હતા. બંને સારા મિત્રો હતા. બંનએ 'ગલી ગલી ચોર હૈ', 'દીવાનગી' અને 'સબ કુશલ મંગલ' જેવા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું હતું.

Next Story