સારા અલી ખાન અને જહાન્વી કપુરે કેદારનાથના ચરણોમાં શિશ ઝુકાવ્યું
સારા અલી ખાન અને જહાન્વી કપુરે કેદારનાથમાં ભોળાનાથ શંભુના દર્શન કર્યા છે. બંનેના ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયાં છે
BY Connect Gujarat Desk1 Nov 2021 1:04 PM GMT
X
Connect Gujarat Desk1 Nov 2021 1:04 PM GMT
સારા અલી ખાન અને જહાન્વી કપુરે કેદારનાથમાં ભોળાનાથ શંભુના દર્શન કર્યા છે. બંનેના ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયાં છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને જહાન્વી કપુર શ્રીદેવીની દીકરી છે.
સારા અલી ખાન અને જહાન્વી કપુરના કેદારનાથ યાત્રાના ફોટા સોશિયલ મિડીયામાં દાવાનળની જેમ વાયરલ થઇ રહયાં છે. કાતિલ ઠંડીથી બચવા માટે બંને એક્ટ્રેસે જેકેટ અને મફલર પહેર્યું છે. તેમના ફોટો પર ચાહકોએ કમેન્ટનો ઢગલો કરી દીધો છે. એક યુઝરે લખ્યું, 'વાહ! આને કહેવાય સંસ્કાર. તમે બંને સારું કામ કરી રહ્યા છો. કાયમ ભગવાનની કૃપા તમારા પર રહે.' સારા અને જાહન્વી વચ્ચે મિત્રતા ગાઢ બની રહી છે. આની પહેલાં બંને રણવીર કપૂરના ક્વિઝ રિયાલિટી શો 'ધ બિગ પિક્ચર'માં સાથે ગઈ હતી. આ દરમિયાન જાહન્વી અને સારાએ તેમની મિત્રતા કેવી રીતે થઈ તે વાત શેર કરી છે.
Next Story