એમએસ ધોની, છીછોરે, જેવી ફિલ્મમાં કામ કરનાર દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો આજે જન્મદિવસ
એમએસ ધોની, છીછોરે, પીકે જેવી ફિલ્મમાં કામ કરનાર દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો આજે જન્મદિવસ છે. સુશાંત સિંહ રાજપૂતનો જન્મ બિહારના પટનામાં થયો હતો. ફિલ્મો પહેલા સુશાંતે ટીવીના લોકપ્રિય શો પવિત્ર રિશ્તામાં કામ કર્યું હતું. તેણે આ સિરિયલથી એક્ટિંગ શરૂઆત કરી હતી. 14 જૂન 2020ના રોજ સુશાંતે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. અચાનક સમાચાર આવ્યા કે સુશાંત સિંહ રાજપૂતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી અને તે પછી બધા ચોંકી ગયા.બિહારથી મુંબઈ જઈને સિને જગતમાં સફર કરનાર સુશાંત સિંહ રાજપૂતે પોતાના દમ પર નામ કમાવ્યું અને તેની અચાનક વિદાયથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુશાંતનું અચાનક મૃત્યુ તેના ફેન્સ માટે આઘાતજનક સમાચાર છે. એક્ટરે ફિલ્મોમાં પોતાના શાનદાર કામથી લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું અને જ્યારે તે ગયો ત્યારે લોકો પડદા પર તેની એક્ટિંગ અને ડાયલોગ્સને મિસ કરે છે.