રાજકોટઃ એકજ વ્યક્તિના 5 જેટલા વાહનોમાં અસામાજિક તત્વોએ આગ ચાંપી
BY Connect Gujarat7 Nov 2018 8:16 AM GMT
X
Connect Gujarat7 Nov 2018 8:16 AM GMT
શહેરનાં સદર બજાર વિસ્તારમાં વાહનોમાં આગ લગાવવાની ઘટના બની
રાજકોટના સદર બજાર વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ પાસે ફારૂકભાઈ નામના વ્યકતિના 5 જેટલા વાહનોમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હતી. આ મામલે પ્રધ્યુમન નગર પોલીસ મથકમાં અજાણ્યા સખ્શો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
[gallery size="large" td_select_gallery_slide="slide" td_gallery_title_input="Fire In Vehicle" ids="71977,71978,71979,71980"]
પોલીસે આ મામલે ફોરેન્સિક ઇન્સપેક્ટરને સાથે રાખી ઘટના સ્થળથી નમૂના એકત્ર કર્યા છે. ફારૂકભાઈએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વાહનોમાં કોને આગ લગાડી છે તે બાબતે હું ખુદ અજાણ છું. કારણકે મારે અને મારા પરિવારજનો ને કોઈ સાથે રાગ દ્વેષ કે મનદુઃખ નથી.
Next Story