Connect Gujarat
Featured

ગાંધીનગર: ધો. 9 અને 11ના વર્ગોને શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

ગાંધીનગર: ધો. 9 અને 11ના વર્ગોને શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
X

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 ના વર્ગો સ્કૂલમાં ચાલુ કરવામાં આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ કર્યા બાદ હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો છે આ સાથે જ ટયુશન કલાસીસ પણ શરૂ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે 8 જાન્યુઆરીએ શિક્ષણવિભાગે જાહેર કરેલી SOPનું પાલન ફરજિયાત કરવું પડશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ ટયુશન કલાસીસ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે અને દરેક સ્કૂલ સંચાલક અને ટ્યુશન કલાસીસ ના સંચાલકોએ આ ગાઈડ લાઇનનું પાલન કરવું પડશે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સૂચન કર્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધીમાં પ્રવેશ આપવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સુચનો કરાયાં છે. રાજ્ય સરકાર દ્વારા કોલેજના FY, SYના વર્ગો શરૂ કરવાને લઇને આગામી ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ સાથે રાજ્યમાં હોસ્ટેલ શરુ કરવાને લઇને પણ આગામી બેઠકમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

Next Story