Connect Gujarat
Featured

ગાંધીનગર : રાજ્યના અનેક પ્રવાસન ક્ષેત્રો “નજરાણા” સમાન, જુઓ કયા પર્યટન સ્થળોને મળ્યો ટુરીઝમ એવોર્ડ..!

ગાંધીનગર : રાજ્યના અનેક પ્રવાસન ક્ષેત્રો “નજરાણા” સમાન, જુઓ કયા પર્યટન સ્થળોને મળ્યો ટુરીઝમ એવોર્ડ..!
X

ગીફ્ટ સિટી ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ટુરીઝમ એવોર્ડ-2020 સિઝન-4 અંતર્ગત એવોર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે અલગ અલગ કેટેગરી માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત એક એવું રાજ્ય છે, જેની પાસે રણ, દરિયો, જંગલ, વન્યજીવ, પહાડો અને ઋતુઓનું વૈવિધ્ય છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે આ અહી સોનેરી તક પણ છે. પ્રકૃતિ પણ ગુજરાત પર ખૂબ વરસી છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રે નજરાણા સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, સાસણ જંગલ સફારી ઉપરાંત હવે સરકારે સીમાદર્શન પણ શરૂ કરાવ્યું છે, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ટુરીઝમ એવોર્ડ-2020 સિઝન-4 અંતર્ગત એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, કોરોના પેન્ડેમીકને કારણે સૌથી વધુ અસર ટુરિઝમ ક્ષેત્રને થઇ છે. જેમાં ટૂર ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટર્સ અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ વ્યાપક અસર થઇ છે. સેવા ક્ષેત્રમાં પ્રવાસન ક્ષેત્રે સૌથી વધુ રોજગાર-ધંધા સર્જન થવાની શક્યતાઓ રહેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટુરીઝમ ક્ષેત્ર પર વિશેષ ભાર આપ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બાલાસિનોર ફોસાઇલ પાર્ક, અને શિવરાજપૂર બ્લ્યુ બીચ સરકારની પ્રવાસન સ્થળોને વિશ્વકક્ષાના બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન પણ માર્ગદર્શિકાના પાલન સાથે અંદાજે 25 હજાર લોકો દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ વિવિધ આકર્ષણોનો આનંદ મેળવે છે, ત્યારે રાજ્યના પ્રવાસન ક્ષેત્રને આપણે નવી ઉંચાઈઓ સર કરાવીશું તે નિશ્ચિત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. એવોર્ડ સમારોહમાં પાલીતાણા ધામને બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત, દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને બેસ્ટ બીચ ઓફ ગુજરાત, શ્રી સોમનાથ મંદીરને બેસ્ટ પિલિગ્રીમેજ ઓફ ગુજરાત, મોઢેરા સૂર્યમંદિરને બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત એવોર્ડ આપવામાં આવ્યા છે.

Next Story