Connect Gujarat
Featured

ગીર સોમનાથ : સોમનાથ મંદિરના 53 કળશોને કરાયા સુવર્ણ મઢીત, રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટના પરિજનો દ્વારા પૂજાવિધિ સંપન્ન

ગીર સોમનાથ : સોમનાથ મંદિરના 53 કળશોને કરાયા સુવર્ણ મઢીત, રિલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટના પરિજનો દ્વારા પૂજાવિધિ સંપન્ન
X

જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખર પર રહેલા 1500થી વધુ કળશોને સુવર્ણ મઢીત કરવા મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. આ યોજનાને સારો પ્રતિસાદ મળતા અત્યારસુધીમાં દાતાઓ તરફથી 530 કળશો માટેનું સુવર્ણ દાન નોંધવામાં આવ્યું છે. જેમાં પરિમલ નથવાણીના પરિવાર દ્વારા 53 કળશને સુવર્ણ મઢીત કરવા પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

સોમનાથ મંદિરમાં 530 દાતાઓમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીના પરિવાર દ્વારા 53 કળશોને સુવર્ણ મઢીત કરવા માટે દાન નોંધવામાં આવ્યું છે. આ 53 સુવર્ણ કળશોની પૂજા વિધિ નથવાણી પરિવારના પુત્ર એવા દ્વારકા દેવસ્થાન સમિતિના સભ્ય ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી હતી. જોકે થોડા દિવસો પૂર્વે જ સોમનાથ મંદિરના શિખરો ઉપર 66 જેટલા સુવર્ણ મંદિર કળશ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ 53 સુવર્ણ કળશની પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી, ત્યારે ભવ્ય સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ફરી એકવાર સામે આવી રહ્યો છે.

Next Story