Connect Gujarat
ગુજરાત

ગુજરાત : આરોગ્ય અને સફાઇકર્મીઓનું મોત થશે તો 25 લાખ રૂા.ની સહાય મળશે

ગુજરાત : આરોગ્ય અને સફાઇકર્મીઓનું મોત થશે તો 25 લાખ રૂા.ની સહાય મળશે
X

ગુજરાતમાં

ચાલી રહેલા કોરોના વાયરસના વાવર વચ્ચે આરોગ્ય કે સફાઇ કર્મચારીનું મૃત્યુ થશે તો

તેના પરિવારને સરકાર તરફથી 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

કોરોના વાયરસ COVID-19ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને સેવા દાયિત્વથી ફરજ બજાવતા વિવિધ સરકારી સેવાના અધિકારીઓ કર્મીઓ માટે સંવેદના દર્શાવી મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મહત્વ પૂર્ણ નિર્ણયો કર્યા છે. તેમણે જાહેરાત કરી છે કે, રાજ્યની નગર પાલિકાઓ તથા મહા નગર પાલિકાઓમાં કાર્યરત સફાઈ કર્મીઓ અને આરોગ્ય સેવા કર્મીઓનું આ કોરોના વાયરસનો ભોગ બનવાથી અવસાન થાય તો તેવા કર્મીઓને 25 લાખની સહાય રાજ્ય સરકાર આપશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ વિપરીત સ્થિતીમાં ફરજરત મહેસૂલ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પણ જો ફરજ દરમ્યાન કોરોના વાયરસ ની બીમારી થી જાન ગુમાવવા વારો આવે તો તેમને પણ 25 લાખની સહાય અપાશે. હાલની લોક ડાઉનની સ્થિતીમાં અનાજ સહિતની જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠા અને વિતરણની કામગીરી બજાવતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના કર્મીઓ તેમજ સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું મૃત્યુ કોરોના વાયરસના સંક્રમણથી થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના સંવેદનશીલ નિર્ણયો કર્યા છે.

Next Story