Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના 47 નવા કેસ નોધાયા

જરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 47 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 560 પર પહોંચી ગયો છે

રાજ્યમાં આજે કોરોનાના 47 નવા કેસ નોધાયા
X

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 47 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 560 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 07 લોકો વેન્ટીલેટર પર છે. 553 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212064 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,938 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.

અમદાવાદ કોર્પોરેશનમાં 31, વડોદરા કોર્પોરેશનમાં 5, વડોદરા 3, આણંદ 2, ડાંગ 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મોરબી 1, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે. બીજી તરફ આજે 53 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.06 ટકાએ પહોંચ્યો છે. આજે 69,587 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 9280 ને રસીનો પ્રથમ અને 34856 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

Next Story