Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં આજે કોરોનાના નવા 61 કેસ નોધાયા

ગુજરાતમાં આજે કોરોનાના નવા 61 કેસ નોધાયા
X

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 984 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 08 લોકો વેન્ટીલેટર પર છે. 976 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1211273 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું હતું.

અમદાવાદ કોર્પોરેશનમાં 25, વડોદરા કોર્પોરેશનમાં 9, ડાંગ 6, વડોદરા 5, બનાસકાંઠા 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, રાજકોટ 2, અમદાવાદ 1, આણંદ 1, અરવલ્લી 1, ગાંધીનગર 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં 1 નવો કેસ નોંધાયો છે.

અમરેલી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો

બીજી તરફ આજે 186 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.03 ટકાએ પહોંચ્યો છે. આજે 96289 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે એક પણ મોત થયું નથી.

Next Story