Connect Gujarat
ગુજરાત

રાજયમાં આજે કોરોના વાયરસના 678 નવા કોરોના કેસ નોંધાયા, 810 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 678 નવા કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 810 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.68 ટકા નોંધાયો

રાજયમાં આજે કોરોના વાયરસના 678 નવા કોરોના કેસ નોંધાયા, 810 દર્દીઓ થયા સાજા
X

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આજે સામાન્ય વધારો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 678 નવા કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 810 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.68 ટકા નોંધાયો છે. ત્યાં જ અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં નવા 678 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 261 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીઓનું મોત નિપજ્યું છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10981 પર પહોંચી ગયો છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 261, વડોદરા કોર્પોરેશન 91, સુરત કોર્પોરેશન 37, સુરત 29, રાજકોટ કોર્પોરેશન 27, મહેસાણા 22, બનાસકાંઠા 19, ગાંધીનગર કોર્પોરેશન 16, ભરૂચ 14, રાજકોટ 14, કચ્છ 13, અમરેલી 12, ગાંધીનગર 12, પાટણ 12, અરવલ્લી 10, સાબરકાંઠા 10, પોરબંદર 9, વડોદરા 8, આણંદ 7, ભાવનગર કોર્પોરેશન 7, નવસારી 7, વલસાડ 6, ખેડા 5, અમદાવાદ 4, જામનગર કોર્પોરેશન 4, પંચમહાલ 4, સુરેન્દ્રનગર 4, દાહોદ 3, મોરબી 3, ભાવનગર 2, જામનગર 2, દેવભૂમિ દ્વારકા 1, ગીર સોમનાથ 1, નર્મદા 1, તાપીમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 5729 એક્ટીવ કેસ છે જે પૈકી 15 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 5714 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,45,890 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10981 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,53,910 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,91,15,910 લોકોનું રસીકરણ થયું છે.

Next Story