Connect Gujarat
ગુજરાત

રાજયમાં આજે કોરોનાના 942 નવા પોઝિટિવ કેસ નોધાયા, 679 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 942 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 679 લોકો કોરોનામાંથી સાજા થયા

રાજયમાં આજે કોરોનાના 942 નવા પોઝિટિવ કેસ નોધાયા, 679 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
X

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના 1000થી વધુ કેસ નોંધાતા હતા તેમા આજે ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 942 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ 679 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.61 ટકા નોંધાયો છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 31 જુલાઈ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 942 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 321 નોંધાઇ છે. જોકે આજે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10970 પર યથાવત છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 321, વડોદરા કોર્પોરેશન 98, મહેસાણા 54, બનાસકાંઠા 47, સુરત કોર્પોરેશન 42, વડોદરા 42, સુરત 41, રાજકોટ કોર્પોરેશન 34, ગાંધીનગર 32, અમરેલી 23, ગાંધીનગર કોર્પોરેશન 22, રાજકોટ 22, ભાવનગર કોર્પોરેશન 19, નવસારી 15, આણંદ 14, પાટણ 13, સાબરકાંઠા 13, ભરૂચ 12, પોરબંદર 10, જામનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, કચ્છ 8, મોરબી 8, વલસાડ 8, ગીર સોમનાથ 4, સુરેન્દ્રનગર 4, બોટાદ 3, ખેડા 3, પંચમહાલ 3, દેવભૂમિ દ્વારકા 2, જુનાગઢ કોર્પોરેશન 2, તાપી 2, ભાવનગર 1, દાહોદ 1, જામનગર 1, મહીસાગર 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 6537 એક્ટીવ કેસ છે જે પૈકી 14 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 6523 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,37,664 પર પહોંચી ગયો છે. ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10970 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,63,900 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,65,72,256 લોકોનું રસીકરણ થયું છે.

Next Story