Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે કોરોનાના નવા 654 કેસ નોંધાયા, 63 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે 24 કલાકમાં કોરોનાના નવા 654 કેસ નોંધાયા છે. બીજી તરફ 63 દર્દીઓ રિકવર પણ થયા છે.

રાજ્યમાં આજે કોરોનાના નવા 654 કેસ નોંધાયા, 63 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં આજે 24 કલાકમાં કોરોનાના નવા 654 કેસ નોંધાયા છે. બીજી તરફ 63 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,652 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.43 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 1,88,125 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 311, સુરત કોર્પોરેશનમાં 97, વડોદરા કોર્પોરેશનમાં 38 , આણંદમાં 21, રાજકોટ કોર્પોરેશનમાં 21, સુરતમાં 19, ખેડામાં 13, જામનગર કોર્પોરેશનમાં 12, કચ્છમાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 11, નવસારીમાં 10, ભરૂચમાં નવ, ગાંધીનગરમાં નવ, ગાંધીનગર કોર્પોરેશનમાં નવ, અમદાવાદમાં છ, ભાવનગર કોર્પોરેશનમાં છ, જામનગરમાં પાંચ, મહીસાગરમાં પાંચ, મહેસાણામાં પાંચ , અમરેલીમાં ચાર, મોરબીમાં ચાર, તાપીમાં ચાર, પોરબંદરમાં ત્રણ, સાબરકાંઠામાં ત્રણ, વડોદરામાં ત્રણ, બનાસકાંઠામાં એકસ જૂનાગઢ કોર્પોરેશનમાં એક, પંચમહાલમાં એક નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 2962 કેસ છે. જે પૈકી 17 વેન્ટીલેટર પર છે, જ્યારે 2945 નાગરિકો સ્ટેબલ છે. 8,18,652 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Next Story