અમરેલી : સાવરકુંડલામાં 2 રાહદારી મહિલાઓ પર "એસીડ એટેક", બન્ને મહિલા સારવાર હેઠળ
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક હિચકારી ઘટના સર્જાય છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક હિચકારી ઘટના સર્જાય છે. જેમાં ગત રાત્રે અજાણ્યા બાઈક સવાર શખ્સોએ 2 રાહદારી મહિલાઓ પર એસીડ એટેક કર્યો હતો. બનાવના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે.
મળતી માહિતી અનુસાર, ગત રાત્રિના સમયે સાવરકુંડલામાં 2 રાહદારી મહિલાઓ માર્ગ પારથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા બાઈકસવારોએ બન્ને મહિલાઓ પર એસીડ એટેક કરી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે, સરા જાહેર આ ઘટના બનતા રાહદારીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સાથે જ એક મહિલા ગર્ભવતી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે. રસ્તા પર એકત્રિત થયેલા રાહદારીઓએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી બન્ને મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડવા તજવીજ કરી હતી. નાના એવા સવાર કુંડલામાં આ વાત વાયુવેગે પ્રસરી જતા ઘટનાના કારણ અંગે લોકોમાં ભારે ચર્ચા થઇ રહી છે. જોકે, કોણ હતા આ શખ્સો અને શા માટે એસીડ એટેક કરવામાં આવ્યો છે તેને લઈને ભારે તર્ક વિતર્ક શરૂ થયા છે.