Connect Gujarat
ગુજરાત

આજે સીઆર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક, આ તારીખથી શરૂ કરશે પ્રચાર અભિયાન

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચરમ સીમા ઉપર છે,,ત્ચારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ ના નિવાસ સ્થાને રાત્રે 8 વાગ્યે ખાસ બેઠકનુ આયોજન કરાયો છે

આજે સીઆર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક, આ તારીખથી શરૂ કરશે પ્રચાર અભિયાન
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી ચરમ સીમા ઉપર છે,,ત્ચારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ ના નિવાસ સ્થાને રાત્રે 8 વાગ્યે ખાસ બેઠકનુ આયોજન કરાયો છે,જેમાં ધારાસભ્ય,સાંસદ અને પ્રદેશના હોદ્દેદારો સાથે બેઠક કરાશે, જેમાં તેમને ચૂંટણી લક્ષી કાર્યક્રમોની યાદી સોંપી દેવાશે, જેમાં ભાજપના સ્થાપના દિવસને ફોક્સ કરાશે, સુત્રોની માનીએ તો આમ આદમી પાર્ટી જેના પ્રચાર અભિયાન ખાળવા માટે બીજેપી આક્રમક રીતે પ્રચાર અભિયાન 6 એપ્રિલથી શરુ કરશે,, જેની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદી પોતાના ભાષણથી કરશે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાંજે દિલ્હીથી અમદાવાદ આવશે,, સુત્રોની માનીએ તોગાંધીનગર સીઆર પાટીલના નિવાસ સાથે ખાંડ મંડપ બંધાય છે જેમાં 250 થી 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છેઅહી ખાસ બેઠક થશે, જેમાં ધાસાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે, આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની આવનારી ચૂટણીમાં પક્ષ તૈયારીની સમિક્ષા અને કાર્યક્રમોની અમલવારી ને તૈયારી સુચનાઓ અપાશેખાસ કરીને રાજ્ય અને કેન્દ્રની યોજનાઓ,સરકારે કરેલા કામો મતદારો સુધી વધુ પહોચાડવા અગે રણનિતિ બનાવાશે આ બેઠકમાં 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે, તે દિવસે પીએમ નરેન્દ્ર મોદી માર્ગ દર્શન આપશે, તે તમામ બુથોમાં તે ભાષણ સાભળવાની વ્યવસ્થા કરવાની સુચના આપાશે,તે સિવાય પેજ સમિતીઓનો કામોની પણ સમિક્ષા કરાશે, સુત્રોની માનીએ તો ઘડી જગ્યાએ 50 ટકા,તો કોઇ જગ્યાએ 80 ટકાકામ થયુ,,

જેનાથી પ્રદેશની નેતાગિરી સંતુષ્ઠ નથી, આ કામો 100 ટકા જલ્દી પુર્ણ કરાય તે માટે સંગઠન અને ધારાસભ્ય જલ્દી પુર્ણકરે તેવી ટકોર કરાશે,, સાથે કાર્યકર્તા સમ્મેલન,, ઉપરાંત બક્ષીપંચ સમ્મેલન, એસટી એસ સી મોર્ચા સમ્મેલન, વિવિધ પ્રકારનાબુધ્ધ જીવીયો,ડોક્ટર, વકીલ,સીએ સહિત વિવિધ ક્ષેત્રના સમ્મેલનો કરવાની સુચના આપી દેવાઇ છે,સાથે સમ્મેલન કર્યા બાદ તેના ફોટો મિડીયામાંઅવશ્ય મુકવા,,સમાજિક આગેવાનો, પ્રભાવશાળી વ્યક્તિઓ, પ્રભાવશાળી સાધુ સંતોનો પણ સંપર્ક કરીને તેમનો પણ ઉપયોગ કરવાની સુચના અપાઇ છેવિપક્ષના મજબુત નેતાઓ કાર્યકર્તાઓ અને આગેવાનો સંપર્ક કરીને ભરતી અભિયાન તેજ કરવાની સુચના અપાશે.

Next Story