Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: 6 વર્ષીય બાળકને વીજ કરંટ લાગતા સારવાર બાદ કરૂણ મોત

અંકલેશ્વર: 6 વર્ષીય બાળકને વીજ કરંટ લાગતા સારવાર બાદ કરૂણ મોત
X

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ગિરનાર સોસાયટીમાં રહેતા તરુણભાઈ મિશ્રાનો 6 વર્ષીય પુત્ર શનિ મિશ્રા આજરોજ સારવારના અરસામાં પોતાના ઘર પાસે રમી રહ્યો હતો તે દરમિયાન સાઇકલ લેવા જતાં તેને જોરદાર વીજ કરંટ લાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો જેને તાત્કાલિક તેના કાકા અને માતાએ અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તેના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story