બનાસકાંઠા: ભાભરમાં UGVCLના કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું
ભાભર યુ.જી.વિ.સી એલ. કંપની માં ફરજ બજાવતા યુવાનને વિજપોલ પર કરંટ લાગતાં સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત થયું હતું.
BY Connect Gujarat Desk27 July 2022 3:51 PM GMT
X
Connect Gujarat Desk27 July 2022 3:51 PM GMT
ભાભર યુ.જી.વિ.સી એલ. કંપની માં ફરજ બજાવતા યુવાનને વિજપોલ પર કરંટ લાગતાં સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત થયું હતું.
ભાભર વિજ કંપનીમાં ફરજ બજાવતા ઠાકોર સુરેશભાઇ કરસન ભાઇ ઉ.વ.આ.૩૫ રહે કમાલપુરા/ભાભર તા.ભાભર વાળા તેઓ અબાસણા ગામની વિજ લાઇન ઉપર કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન વિજપ્રવાહનો અર્થીગ થતાં સુરેશભાઇને હેવી કરંટ લાગવા પામ્યો હતો. અતિભારે કરંટ લાગતાં સુરેશ ભાઇનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું.
આવિ દુઃખદ ઘટનાને લઇ ભાભર પંથકમાં આઘાત ફેલાવા પામ્યો હતો. મૃતક તેમની પત્ની એક પુત્ર અને બે પુત્રીને રડતા મૂકિને જતાં કુટુંબ સમાજમાં ભારે દુઃખની લાગણી ફેલાવા પામી છે. મૃતકની લાશને પી.એમ. અર્થે ભાભરની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. વિજકંપનીના અધિકારીઓએ આ બાબતે પોલિસ કાર્યવાહિ કરી હતી.
Next Story