અંકલેશ્વર: પાનોલી-ઉમરવાડા માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં

અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

New Update

અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરમાં વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે  ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ માર્ગો ખખડધજ હાલતમાં થઈ જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરના પાનોલી આલુંજ અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતો મુખ્યમાર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ ન કરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહનચાલકોના આક્ષેપ અનુસાર તેઓએ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગનું  સમારકામ કરવામાં નથી આવતું જેના કારણે આસપાસના ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.વહેલીતકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે

#Ankleshwar #CGNews #Panoli #roads #Umarwada #damage #Gujarat
Here are a few more articles:
Read the Next Article