ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે પોલીસ પરિવાર દ્વારા નવનિર્મિત હનુમાનજી મંદિરની આનંદ ઉલ્લાસ તથા ભક્તિભાવ પૂર્વક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત પોલીસ લાઈન ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી તથા જંબુસર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયાના માર્ગદર્શન હેઠળ હનુમાનજીના મંદિરનું ભવ્ય નિર્માણ કરવામા આવ્યુ છે, ત્યારે આ મંદિરના નિર્માણમાં જંબુસર પોલીસ મથકનો સ્ટાફ ઉમંગભેર કરેલ કામગીરીના પગલે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યો હતો. પ્રાણપ્રતિષ્ઠાને અનુલક્ષીને શોભાયાત્રા, યજ્ઞ-હવન, લોકડાયરા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી, તાલુકા ભાજપ પ્રમુખ બાલુ ગોહિલ, તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, માજી ધારાસભ્ય સંજય સોલંકી, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, ભાજપ જીલ્લા કિસાન સંઘ અગ્રણી કુલદીપસિંહ યાદવ સહિત નગર તથા તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.