ભાવનગર : ભારત સરકારના પૃથ્વી મંત્રાલય દ્વારા તળાજા દરિયા કિનારે સફાઇ ઝુંબેશ હાથ ધરાય
સુરક્ષિત સાગર’ ઝૂંબેશ અંતર્ગત તળાજા તાલુકાના ઝાઝમેર બીચ ખાતે તાલુકા વહીવટી તંત્ર તથા તળાજા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા દરિયા કિનારે સફાઈ કરવામા આવી હતી.

વસુંધરાને સ્વચ્છ અને સુંદર રાખવી એ આપણી નૈતિક ફરજ છે. કુદરતી સંશાધનો જેટલાં સ્વચ્છ રહેશે તેટલી જ આ પૃથ્વી રહેવાં લાયક અને માણવાં લાયક બની રહેશે. પૃથ્વીનું સંરક્ષણ કરી આગામી પેઢીઓને પણ આપણે તંદુરસ્ત વાતાવરણ સાથે તંદુરસ્ત ભવિષ્ય આપી શકીશું.
આ ભાવને આગળ વધારતાં ભારત સરકારના પૃથ્વી મંત્રાલય (Ministry of earth sciences)ની 'સ્વચ્છ સાગર –સુરક્ષિત સાગર' ઝૂંબેશ અંતર્ગત તળાજા તાલુકાના ઝાઝમેર બીચ ખાતે તાલુકા વહીવટી તંત્ર તથા તળાજા કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા દરિયા કિનારે સફાઈ કરવામા આવી હતી. આપણે જાણીએ છીએ કે, પૃથ્વી પર સૌથી વધારે જીવસૃષ્ટી દરિયામાં પાંગરે છે, ત્યારે તેનું જતન અને સંવર્ધન થવું જરૂરી છે. આપણાં યાત્રાધામો અને વિહાર ધામો દરિયાકિનારે કે તેની આસપાસમાં વિકસીત થયેલાં છે.
તેથી ત્યાં લોકોનો ધસારો પણ વધું રહે છે. અને તેને લીધે પ્લાસ્ટિકના પડીકા, નકામો કચરો વગેરે દરિયાકિનારે જમા થાય છે. તેને દૂર કરીને દરિયા કિનારાને સ્વચ્છ બનાવવાં માટે પૃથ્વી મંત્રાલય સમયે-સમયે આવા સ્વચ્છતા અભિયાનો યોજીને પૃથ્વીને નિરંતરતા બક્ષવાનું કાર્ય કરે છે. આ અવસરે કોલેજના વિદ્યાર્થીઓને આ અભિયાન વિશે માહિતી આપીને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 'હર ઘર તિરંગા' અભિયાન વિશેની પણ જાણકારી આપવામાં આવી હતી.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
સુરત: મહાનગર પાલિકાના કર્મચારી પાસે રૂ.10 હજારની લાંચ માંગનાર કલાર્કની...
9 Aug 2022 11:03 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTબૉર્ડર પર તૈનાત વીરોને રાખડી બાંધવા સુરતની 11 યુવતીઓ બાઇક પર નડાબેટ...
9 Aug 2022 10:47 AM GMTભરૂચ: નર્મદા નિગમે 18 વર્ષથી 8 કરોડનું વળતર નહિ ચૂકવતાં અંતે કોર્ટે...
9 Aug 2022 10:42 AM GMTઅંકલેશ્વર : વિશ્વ આદિવાસી દિવસની અનોખી રીતે ઉજવણી, પાલિકા દ્વારા...
9 Aug 2022 10:33 AM GMT