Connect Gujarat
ગુજરાત

ભાવનગર ડિસ્ટ્રીકટ બેન્ક દ્વારા ખેડૂતોને 7% વ્યાજ સહાય જાહેરાત કરાઇ

ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેન્ક દ્વારા તાજેતરમાં મળેલી બોર્ડની બેઠકમાં ચેરમેન કેશુભાઈ નાકરાણી દ્વારા ૭ ટકા ના વ્યાજ સહાયની રકામ ખેડૂતોના ખાતામાં ચુકવવાનો નિર્ણય કરાયો છે

ભાવનગર ડિસ્ટ્રીકટ બેન્ક દ્વારા ખેડૂતોને 7% વ્યાજ સહાય જાહેરાત કરાઇ
X

ભાવનગર ડીસ્ટ્રીક્ટ કો.ઓપ.બેન્ક દ્વારા તાજેતરમાં મળેલી બોર્ડની બેઠકમાં ચેરમેન કેશુભાઈ નાકરાણી દ્વારા ૭ ટકા ના વ્યાજ સહાયની રકામ ખેડૂતોના ખાતામાં ચુકવવાનો નિર્ણય કરાયો છે .

જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કના 2021/22 વર્ષના જિલ્લાના ખેત ધિરાણ મેળવતા અને સમયસર પાકની તારીખ પહેલા રકમ ચૂકતે કરનાર સભાસદ ને ૩ ટકા અને રાજ્ય સરકાર તરફથી ૪ ટકા મળીને ૭ ટકા વ્યાજ સહાય ખેડૂત સભાસદોને ખાતામાં D.B.T. (ડાયરેક્ટ બેનીહીટ ટ્રાન્સફર) યોજના મુજબ કરવામાં આવ્યો હતો. જેમાં આ બોર્ડ મિટીંગમાં માં ચેરમેન, કેશુભાઈ નાકરાણી અને વાઇસ ચેરમેન માનસંગભાઈ નકુમ સહિત તમામ બોર્ડના ડાયરેક્ટરો દ્વારા લેવાયેલો નિર્ણય અન્ય બેન્કો કરતા સારી પહેલ કરવામાં આવી છે.

Next Story