Connect Gujarat
ગુજરાત

ભાવનગર : ઘર આંગણે અરજદારોને લાભા ઉપલબ્ધ થાય તે હેતુથી પાલિતાણા પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો “સેવા સેતુ”

ભાવનગર : ઘર આંગણે અરજદારોને લાભા ઉપલબ્ધ થાય તે હેતુથી પાલિતાણા પાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
X

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાનો "સેવા સેતુ" કાર્યક્રમ પાલિતાણા નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ તા. ૧૩/૧૧/૨૦૨૧નાં રોજ સવારે ૦૯-૦૦ વાગ્યે નગરપાલિકા કચેરી ખાતે યોજાનાર છે.

આ કાર્યક્રમમાં નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં.૧, ૨, ૩, ૪ અને ૫ના લોકોને આવક, જાતિ, નોન ક્રીમીલેઅર, ડોમીસાઇલ પ્રમાણ૫ત્રો, રેશનકાર્ડમાં (નામ ઉમેરવા, નામ કમી કરવા અને રેશનકાર્ડમાં સુધારા કરવા), આઘારકાર્ડ, માં અમૃતમ યોજના, વાત્સલ્ય કાર્ડમાં નામોની નોંઘણી, રાજય સરકારના કૃષી, ૫શુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજનાઓ હેઠળનાં વ્યકતિલક્ષી લાભો, જનધન યોજનાના લાભો, સીનીયર સીટીઝનનાં પ્રમાણ૫ત્રો, દિવ્યાગતાં પ્રમાણ૫ત્રો, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ, વિધવા, વૃધ્ધ સહાયની યોજનાનાં લાભો વગેરેને લગતી તમામ અરજીઓ બાબતે માંગણી કરી શકશે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં જે લોકો લાભ લેવા ઇચ્છતા હોય કે, કોઇ યોજનાકીય લાભ લેવા ઇચ્છતાં હોય તેઓએ તા.૧૩/૧૧/૨૦૨૧ના રોજ નગરપાલિકા કચેરી, પાલિતાણા ખાતે આ કાર્યક્રમમાં અરજીઓ રજુ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોનાં સબંઘિત અઘિકારીઓ દ્વારા સ્થળ ૫ર નિકાલ કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પોતાની માંગણી રજુ કરવા માંગતા લોકોએ તા.૧૩/૧૧/૨૦૨૧ના રોજ નગરપાલિકા કચેરી, પાલિતાણા ખાતે નિયત સમયે ઉ૫સ્થિત રહેવા ચીફ ઓફિસરશ્રી, પાલિતાણા નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Next Story