ભાવનગર : PM મોદી ગુજરાતની મુલાકાત દરમ્યાન વિવિધ પ્રકલ્પોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન અવસરે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ ધરવાના છે.
BY Connect Gujarat27 Sep 2022 12:08 PM GMT
X
Connect Gujarat27 Sep 2022 12:08 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન અવસરે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ ધરવાના છે. જેમાં ભાવનગર જિલ્લામાં આગામી તા. 29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન રૂપિયા 11 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત ભાવનગર એસટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.
રાજ્ય સરકાર દ્વારા હાલ વિવિધ બસ સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે. તે જ અભિયાન હેઠળ એસટી. નિગમ દ્વારા ભાવનગરમાં આર.સી..સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું આ સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશન બાંધવામાં આવ્યું છે. આધુનિક આર્કિટેક્ચરલ ડિઝાઇન સાથે બસ સ્ટેશનમાં 18 પ્લેટફોર્મ, 4 સ્ટોલ અને 17 દુકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
Next Story