Connect Gujarat
ગુજરાત

ભાવનગર : શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં અધેવાડાના શિવકુંજ આશ્રમ ખાતે આધ્યાત્મિક શિબિર યોજાય

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરના અધેવાડા ખાતે આવેલ શિવકુંજ આશ્રમ ખાતે આયોજિત ૨૮મી ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરમાં સહભાગી થયાં હતાં.

ભાવનગર : શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં અધેવાડાના શિવકુંજ આશ્રમ ખાતે આધ્યાત્મિક શિબિર યોજાય
X

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરના અધેવાડા ખાતે આવેલ શિવકુંજ આશ્રમ ખાતે આયોજિત ૨૮મી ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરમાં સહભાગી થયાં હતાં. સંસ્કૃત, સંસ્કાર અને સંસ્કૃતિની ત્રિવેણી સમાન ત્રિદિવસીય આધ્યાત્મિક શિબિરને સંબોધતા તેમણે જણાવ્યું કે, ધર્મ અને આધ્યાત્મે પ્રબોધેલા શિક્ષણ અને સંસ્કારના એક તાંતણે આપણે સૌ બંધાયેલા છીએ.

જીવન પરિવર્તનનો એક મોટો માર્ગ આધ્યાત્મ છે. જીવનમાં જ્યારે દુઃખ આવે, ત્યારે તેની પ્રતીતિ થતી હોય છે. તેથી ધર્મનો છોછ ન રાખીને તે આપણાં માટે ગૌરવ અને સન્માનની વાત બને. સમાજ ઉત્થાન અને સમાજ ઉન્નતિ તથા જીવનના વિકાસ માટે સંતો જે તપશ્ચર્યા કરી રહ્યાં છે તે બેમિસાલ છે. ધર્મનો ધ્વજ ઉપર રહે અને આપણે સૌ તેના છત્ર નીચે સુખ અને શાંતિ અનુભવી શકીએ તે ખરી આધ્યાત્મિકતા છે. આ શિબિર જાત્રા-યાત્રાથી થોડી પણ ઓછી નથી તેમ જણાવી તેમણે કહ્યું કે, ભારત ભૂમિ એ તપ અને તપશ્ચર્યા ભૂમિ છે. સત્કાર્યોમાં ભગવાન હંમેશા સહકાર આપે છે

અને તેથી જ આવી શિબિરોમાં આપણને મજા આવતી હોય છે. કર્મના સિદ્ધાંતો, નીતિ અને અનીતિ, ધર્મ અને અધર્મ, સત્ અને અસત્ વગેરેના ભેદના સંસ્કારો ધાર્મિક સત્સંગથી આવતાં હોય છે. શુભ નિષ્ઠાથી કરેલું કાર્ય કોઈ દિવસ એળે જતું નથી તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના કાળમાં ભગવાન શું છે, તેનું આપણને જ્ઞાન લાધ્યું છે. ભગવાને એક ક્ષણમાં શીખવાડ્યું કે, તે દુનિયાને એક ક્ષણમાં નશ્વર બનાવી શકે છે. આવી શિબિરો માત્ર આધ્યાત્મિક ન બની રહેતાં સમાજ માટે પણ ખૂબ જ મહત્વની બની રહેતી હોય છે.

Next Story