Connect Gujarat
ગુજરાત

ભાવનગર : વૃદ્ધાએ ચૂકવ્યું માતૃભૂમિનું ઋણ, મુખ્યમંત્રી રાહત ફંડ અને PM કેર્સ ફંડમાં રૂ. 4.30 લાખનું દાન કર્યું

જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બન્ને ચેક સુપ્રત કર્યા હતા. કલેક્ટરએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું હતું કે,

ભાવનગર : વૃદ્ધાએ ચૂકવ્યું માતૃભૂમિનું ઋણ, મુખ્યમંત્રી રાહત ફંડ અને PM કેર્સ ફંડમાં રૂ. 4.30 લાખનું દાન કર્યું
X

ભાવનગરના ૮૫ વર્ષની જૈફ ઉંમર ધરાવતા રજની જમનાદાસ મોદીએ પોતાની માતૃભુમિનુ ઋણ ચૂકવતાં તથા તેમના ભાઇ સ્વ. હેમેન્દ્ર મોદીની સ્મૃતિરૂપે પોતાની બચત મૂડીમાંથી મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧,૫૦,૦૦૦/- તથા પી.એમ. કેર્સ ફંડમાં ૩,૦૦,૦૦૦/- જેવી માતબર રકમનું સ્વૈચ્છિક અનુદાન આપી વિક્રમ સંવત-૨૦૭૮ના નૂતન વર્ષના પ્રારંભે સમાજ પ્રેરણાદાયી ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.

નૂતન વર્ષના પ્રારંભે ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી તેમણે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેને હાથોહાથ આ બન્ને ચેક સુપ્રત કર્યા હતા. કલેક્ટરએ તેમના આ ઉમદા કાર્યની સરાહના કરી જણાવ્યું હતું કે, સમાજ જીવનમાંથી ઉદ્દાત ભાવથી આવતી આવી દાનની સરવાણી દ્વારા જ આપત્તિ સમયે દેશ અને રાજ્ય પર આવતી વિપદાઓનો સફળતાપૂર્વક સામનો કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે, રજનીબેન શૈક્ષણિક ક્ષેત્રે રઘુકુળ વિદ્યાલયમાં ''શિશુવાટિકા''નું નિર્માણ કરાવેલ છે. આ ઉપરાંત તેઓ ધાર્મિક તેમજ આઘ્યાત્મિક ક્ષેત્રે ૫ણ પ્રવૃત્તિમય છે. આ ઉ૫રાંત તેઓ ભાવનગર નાગરિક સરકારી બેંક (લીડ બેંક)ના કમિટિ મેમ્બર તરીકે પણ તેમની સેવા આપે છે. કોરોના સમયે ૫ણ તેમણે પી.એમ. કેર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં મોટી રકમ આપી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી, ત્યારે જિલ્લા કલેક્ટરે રજનીબેનના ઉમદા કાર્યને બિરદાવી તેમની ઉદ્દાત ભાવનાની સરાહના કરી હતી.

Next Story