Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, આજે 4213 નવા કેસ નોધાયા, 860 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, આજે 4213 નવા કેસ નોધાયા, 860 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. બીજી તરફ 860 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,20,383 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.10 ટકાએ પહોંચ્યો છે. આજે 5,01,409 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 1835 , સુરત કોર્પોરેશનમાં 1105, વડોદરા કોર્પોરેશનમાં 103 , રાજકોટ કોર્પોરેશનમાં 183, આણંદમાં 112, ખેડામાં 66, સુરતમાં 88, કચ્છમાં 77, ગાંધીનગર કોર્પોરેશનમાં 59, વલસાડમાં 58, નવસારીમાં 46, ભરૂચમાં 43, રાજકોટમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 38, ગાંધીનગરમાં 32, જામનગર કોર્પોરેશનમાં 30, જૂનાગઢ કોર્પોરેશનમાં 30, અમદાવાદમાં 27, સાબરકાંઠામાં 23, મહેસાણામાં 22, દેવભૂમિ દ્વારકામાં 18, મોરબીમાં 18, પંચમહાલમાં 18, સુરેન્દ્રનગરમાં 17, અમરેલીમાં 16, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 15, તાપીમાં 14, વડોદરામાં 13, બનાસકાંઠામાં 12, અરવલ્લીમાં 11, મહીસાગરમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, જામનગરમાં ત્રણ, ભાવનગરમાં બે, જૂનાગઢમાં બે નવા કેસ નોંધાયા છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 14,346 કેસ છે. જે પૈકી 29 વેન્ટીલેટર પર છે, જ્યારે 14,317 નાગરિકો સ્ટેબલ છે. 8,20,383 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10127 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે તાપીમાં કોરોનાના કારણે એકનું મૃત્યુ થયું છે.

Next Story