Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 16 નવા કેસ નોધાયા

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 299 પર પહોંચી ગયો છે

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 16 નવા કેસ નોધાયા
X

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 299 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 02 લોકો વેન્ટીલેટર પર છે. 297 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212565 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,942 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 2 અને વડોદરા જિલ્લામં કોરોનાા 2 નવા કેસ નોંધાયો છે.

બીજી તરફ આજે 25 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.08 ટકાએ પહોંચ્યો છે. આજે 1,86,649 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2561 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 22182 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

Next Story