Connect Gujarat
ગુજરાત

Covid- 19 : રાજ્યમાં આજે કોરોનાના 577 નવા કેસ નોધાયા, 633 દર્દીઓ થયા સાજા

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 577 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 633 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.

Covid- 19 : રાજ્યમાં આજે કોરોનાના 577 નવા કેસ નોધાયા, 633 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 577 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમિત થયેલા 633 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. આજે રાજ્યમાં બે લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજે નોંધાયેલા નવા 577 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં નવા 247 કેસ આવ્યા છે. સુરત શહેરમાં 12, વડોદરા શહેરમાં 31, ગાંધીનગર શહેરમાં 20, ભાવનગર શહેરમાં 28, જામનગર શહેરમાં 2 કેસ નોંધાયા છે. અન્ય જિલ્લાઓના કેસ જોઈએ તો, મહેસાણામાં 31, કચ્છમાં 09, સુરતમાં 12, મોરબીમાં 1, ગાંધીનગરમાં 5, નવસારીમાં 15 કેસ, ભાવનગરમાં 10 કેસ, વલસાડમાં 11 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોનાથી મુક્ત થઇને 633 દર્દીઓ સાજા થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 12,23,903 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસ વધીને 4156 થયા છે, જેમાં 3 દર્દી વેન્ટિલેટર પર છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના કારણે બે દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10,950 મોત થયા છે. આ સાથે રાજ્યમાં આજે કુલ 42880 લોકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

Next Story