Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં આજ રોજ કોરોનાના નવા 580 કેસ નોંધાયા, 391 દર્દીઓ થયા સાજા

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા સાજા
X

ગુજરાતમાં આજ રોજ કોરોનાના નવા 580 કેસ નોંધાયા છે. જ્યારે 391 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. ત્યારે હાલ 3478 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી વેન્ટીલેટર પર છે અને બાકીના તમામ સ્ટેબલ છે. સારી વાત એ છે કે કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. 98.83 રિકવરી રેટ થયો છે.

રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે, આજે અમદાવાદ શહેરમાં 229 અને ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા છે. તો સુરત શહેરમાં 87 અને ગ્રામ્યમાં 19, વડોદરા શહેરમાં 33 અને ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. મહેસાણામાં 29, વલસાડમાં 23, ગાંધીનગર શહેરમાં 20, કચ્છમાં 19, નવસારીમાં 19, સુરતમાં 19, ભાવનગર શહેરમાં 11, ગાંધીનગરમાં 11, જામનગર શહેરમાં 11, પાટણમાં 8, મોરબીમાં 7, રાજકોટ શહેરમાં 7, બનાસકાંઠામાં 6, સાબરકાંઠામાં 6, આણંદમાં 4, ખેડામાં 4, સુરેન્દ્રનગરમાં 4, અમરેલીમાં 3, ભરૂચમાં 3, વડોદરામાં 3, અરવલ્લીમાં 2, પોરબંદરમાં 2, ભાવનગરમાં 1, ગીર સોમનાથમાં 1 અને રાજકોટ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે.

Next Story