Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના નવા 63 કેસ નોંધાયા

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના નવા 63 કેસ નોંધાયા
X


ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 63 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 39 દર્દીઓ રિકવર પણ થયા છે. આજે રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,428 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા. આજે 5,58,618 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 13, જામનગર કોર્પોરેશન 11, સુરત કોર્પોરેશનમાં 11, વડોદરા કોર્પોરેશનમાં 11, કચ્છ 3, નવસારી 3, વલસાડ 3, રાજકોટ કોર્પોરેશનમાં 2,આણંદ 1, બનાસકાંઠા 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,પંચમહાલ 1, રાજકોટ 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 480 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 474 નાગરિકો સ્ટેબલ છે. 8,17,428 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10098 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

Next Story