Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે 7606 નવા પોઝિટિવ કેસ નોધાયા, 34 દર્દીઓના થયા મોત

Covid-19 : રાજ્યમાં આજે 7606 નવા પોઝિટિવ કેસ નોધાયા, 34 દર્દીઓના થયા મોત
X

રાજ્યમાં આજે કોરોના વાઇરસના 7,606 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. તો સાથે 34 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આજે 13195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 63,564 સુધી પહોંચી ગઈ છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં 3165 કેસ, વડોદરામાં 1413 કેસ ,ગાંધીનગરમાં 525 કેસ, રાજકોટમાં 410 કેસ, સુરતમાં 389 કેસ, ભાવનગરમાં 83 કેસ, જામનગરમાં 62, જૂનાગઢમાં 29, મહેસાણામાં 230, આણંદમાં 151 કેસ,બનાસકાંઠામાં 149, પાટણમાં 128, ખેડામાં 123 કેસ, ભરૂચમાં 116, કચ્છમાં 111, સાબરકાંઠામાં 67 કેસ,નવસારીમાં 55, મોરબી - તાપીમાં 53 - 53 કેસ,વલસાડમાં 47, સુરેન્દ્રનગરમાં 42, પંચમહાલમાં 41 કેસ,અમરેલીમાં 30, દાહોદમાં 27, દ્વારકામાં 19 કેસ,અરવલ્લી - ડાંગમાં 17 - 17, મહીસાગરમાં 14 કેસ, છોટાઉદેપુરમાં 11, પોરબંદરમાં 10, ગીરસોમનાથમાં 9 કેસ,નર્મદામાં 6, બોટાદમાં 4 કેસ નોધાયા છે.

Next Story