Connect Gujarat
ગુજરાત

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના કેસમાં થયો ઘટાડો, 25 દર્દીઓના થયા મોત

રાજ્યમાં આજે કોરોનાના નવા 13805 કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469 દર્દીઓ રિકવર પણ થયા છે.

Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના કેસમાં થયો ઘટાડો, 25 દર્દીઓના થયા મોત
X

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 13805 કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 25 મોત થયા. આજે 1,70,290 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદમાં આજે સૌથી વધુ 4441 કેસ સુરતમાં 1374 કેસ,વડોદરામાં 3255 કેસ,રાજકોટમાં 1149 કેસ, જામનગરમાં 183 કેસ, જૂનાગઢમાં 85 કેસ, ભાવનગરમાં 322 કેસ, ગાંધીનગરમાં 509 કેસ,કચ્છમાં 282, મોરબીમાં 267 કેસ,પાટણમાં 242, મહેસાણામાં 231 કેસ,ભરૂચમાં 190, નવસારીમાં 160 કેસ, બનાસકાંઠામાં 156, આણંદમાં 150 કેસ, વલસાડ 141, સુરેન્દ્રનગરમાં 113 કેસ,અમરેલીમાં 109, ખેડા 89, પંચમહાલમાં 76 કેસ,નર્મદામાં 57, પોરબંદરમાં 52, સાબરકાંઠામાં 45 કેસ,ગીર સોમનાથમાં 43, દાહોદમાં 39 કેસ ,તાપીમાં 19, છોટાઉદેપુરમાં 17 કેસ,મહીસાગરમાં 17, અરવલ્લીમાં 14 કેસ, દ્વારકામાં 7, બોટાદમાં 6, ડાંગમાં 1 કેસ કોરોનાનો સામે આવ્યો છે.

આજે ત્રીજી લહેરના સૌથી વધુ 25 મોત કોરોનાના લીધે થયા છે. તેમાં સૌથી અમદાવાદમાં 6 મોત, વડોદરામાં 3, સુરતમાં 4, રાજકોટમાં 2, ભાવનગરમાં 1, કચ્છમાં 1, મહેસાણમાં 1, વલસાડ 1 તો જામગનગરમાં 3, પંચમહાલમાં 1 તો ભાવનગરમાં પણ 1 દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.

Next Story