Connect Gujarat
ગુજરાત

દાહોદ : પેટ્રોલ પંપના કેશિયરની આંખોમાં મરચાંની ભૂકી નાંખી લૂંટારૂઓએ ચલાવી લાખો રૂપિયાની લૂંટ

ધોળે દહાડે બનેલી લૂંટની ઘટનાથી પંથકમાં તથા પેટ્રોલ પંપ સંચાલકોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ : પેટ્રોલ પંપના કેશિયરની આંખોમાં મરચાંની ભૂકી નાંખી લૂંટારૂઓએ ચલાવી લાખો રૂપિયાની લૂંટ
X

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાના પેટ્રોલ પંપ ઉપર દિન દહાડે લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. પેટ્રોલ પમ્પ પર ત્રાટકેલા અજાણ્યા 2થી 3 લૂંટારુઓએ કેશીયરની આંખમાં મરચાની ભૂકી નાખી લાખોની મત્તા લઈને ભાગી છૂટવામાં સફળતા મેળવી હોવાનું સનસની ખેજ બનાવ બનવા પામ્યો છે. જોકે, ઘટનાથી ચોકી ઉઠેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં નગરના રાજમહેલ રોડ આવેલા એસ્સાર કંપનીના પેટ્રોલ પંપ પર ભર બપોરે ગ્રાહકના સ્વાન્ગમાં આવેલા 2થી 3 અજાણ્યા ઈસમોએ પેટ્રોલ પંપની ઓફિસમાં જઈ કેશીયર કંઈક સમજે તે પહેલા જ તેની આંખોમાં મરચાની ભૂકી નાખી લાખોની મત્તાને લૂંટી જવામાં સફળતા મેળવી છે. કેશીયર કંઈક સમજે કે, બોલે તેની બુમાબુમથી પેટ્રોલ ફિલર તેમજ અન્ય કર્મચારીઓ ઓફિસ સુધી પહોંચે તે પહેલા જ લૂંટારુઓ પલાયન થઈ જવા પામ્યા હતા.

ઘટનાની જાણ વાયુવેગે ફેલાતા પેટ્રોલ પંપ પર લોક ટોળાં એકઠા થઈ ગયા હતા. તો ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની તપાસ હાથ ધરી હતી. દેવગઢબારિયાની તમામ સરહદો પોલીસે સીલ કરી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે કે કેમ તે જોવાનો પ્રયાસ કરાયો, ત્યારે લૂંટારુઓ DVR સિસ્ટમ પણ સાથે લઇ ગયાનું સામે આવ્યું છે. ખૂબ જ શાંતિપૂર્ણ અને ફિલ્મી ઢબે થયેલી લૂંટમાં "ઘર કાં ભેંદી લંકા ઢાયે" એટલે કે, પંપની તમામ ગતિવિધિઓ જાણતો કોઈ અંદરનો ઈસમ પણ સંડોવાયેલ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

ધોળે દહાડે બનેલી લૂંટની ઘટનાથી પંથકમાં તથા પેટ્રોલ પંપ સંચાલકોમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તો રાજ્ય તથા જિલ્લામાં ઉપરા છાપરી બનતી આવી ઘટનાઓને અટકાવવામાં આવે તેવી લાગણી તથા માંગણી ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ લૂંટ જાણ ભેંદું દ્વારા અનુમાન પણ એટલે જ કરાઈ રહ્યું છે કે, આજ પેટ્રોલ પંપ સંચાલકની અન્ય પેટ્રોલ પંપની સિલ્લક પણ આ પંપ પર એકઠી કરી જેતે વહીવટ કરાતો હોય છે. આ લૂંટને અંજામ અપાયો, ત્યારે બન્ને પંપની સિલ્લક એકસાથે લૂંટી જવાઈ છે. સમગ્ર ઘટના અંગે સાચો પ્રકાશ તો જેની આંખમાં મરચાની ભૂકી નખાઈ છે, તે કેશીયર જ વર્ણવી શકે તેમ છે, જ્યારે તમામ પેટ્રોલ પંપ વધુ સલામતી અંગેના વધુ પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Next Story