દાહોદ : ડાંગરીયા ગામે ખેતરમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ મળ્યાં, મોતના કારણો અંગે રહસ્ય ઘેરાયું
દાહોદના દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ગામ નજીક રોડની બાજુમાં આવેલાં ખેતરમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાય છે.

દાહોદના દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ગામ નજીક રોડની બાજુમાં આવેલાં ખેતરમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાય છે. ત્રણેય યુવાનના મોત અકસ્માતમાં થયા કે પછી તેમની હત્યા કરવામાં આવી છે તે હજી સુધી સામે આવી શકયું નથી.
દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરિયા ગામે કાપડી વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોના રોડની સાઈડમાંથી મૃતદેહો મળી આવ્યાં છે.દેવગઢ બારિયા તાલુકાના કાપડી વિસ્તારમાં રહેતા યુસુફ અયુબ કમાલ શુક્લા, અકબર સતાર પટેલ અને સમીર યાકુબ જેથરાના મૃતદેહ રોડની સાઇડ પરથી આવેલી ઝાડીમાંથી મળી આવ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબજો લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે, તો બીજી તરફ મૃતકના પરિવારજનો દેવગઢ બારીયા પોલીસ મથકે પણ પહોંચી ગયા હતા. જ્યાં યુવકોની હત્યા કરાઇ હોવાની પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી અને હત્યાનો ગુનો દાખલ કરવા પોલીસને અનુરોધ કર્યો હતો. પરંતુ પ્રથમ તબક્કે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. રોડની સાઇડ પરથી યુવાનોની બાઇક મળી હોવાથી અજાણ્યા વાહનની ટકકરે ત્રણેય યુવાનો ફંગોળાયા હોય અને મોતને ભેટયાં હોવાનું અનુમાન લગાવાય રહયું છે. એક સાથે ત્રણ યુવાનોના મોતની ઘટના હત્યાકાંડ હોવાની પણ શંકા ઉપજાવી રહી છે. દાહોદના ડીવાયએસપી પરેશ સોલંકીએ જણાવ્યું હતું કે, બનાવ સ્થળની પ્રાથમિક તપાસમાં આ બનાવ અકસ્માતનો હોવાનું લાગી રહ્યું છે. હત્યાનો બનાવ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે, પોલીસ હાલ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટમાં કે મૃતદેહના પંચનામામાં કોઈ પુરાવા મળશે તો પોલીસ તે દિશામાં પણ તપાસ કરશે.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
દાહોદ : દામાવાવ નજીક એસટી બસ અને ખાનગી બસ સહિત અન્ય વાહન વચ્ચે સર્જાયો...
16 Aug 2022 4:37 PM GMTરાજ્યમાં આજે કોરોનાના 425 નવા કેસ નોધાયા, એક દર્દીનુ થયું મોત
16 Aug 2022 4:04 PM GMTસુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMT