Connect Gujarat
ગુજરાત

ડાંગ : આદિજાતિ પરિવારોને કરાયું ફળાઉ રોપાઓનું વિતરણ

ડાંગ : આદિજાતિ પરિવારોને કરાયું ફળાઉ રોપાઓનું વિતરણ
X

ડાંગ જિલ્લાના છેવાડાના ખેડૂતો તેમની ખેતી અને પશુપાલનની સાથે સાથે તેમના ખેતર કે, વાળામાં ફળાઉ ઝાડના વૃક્ષોનુ વાવેતર કરીને, આજીવિકા વૃદ્ધિ કરી શકે તે માટે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના ૧૬૫૨ જેટલા આદિજાતિ લાભાર્થીઓને ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તાજેતરમા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્ય આદિજાતિ અને વન મંત્રી રમણલાલ પાટકરે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાકરપાતળ અને સુબીર તાલુકાના મુખ્ય મથકે ફળાઉ રોપાઓનું વિતરણ કરતા ડાંગ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ યોજના અંતર્ગત ફળાઉ વૃક્ષોનું મોટાપાયે વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા રસીકરણ કાર્યક્રમમાં જોડાઈને સૌને ફરજીયાતપણે વેક્સિન લેવાનો અનુરોધ પણ મંત્રીએ કર્યો હતો.

આ અવસરે મંત્રી સાથે સાકરપાતળના કાર્યક્રમમાં ઉપસ્થિત ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિતે ડાંગ જિલ્લામાં વાડી યોજના સહિતની વિવિધ આજીવિકા વૃદ્ધિની યોજનાઓના લાભો થકી આદિજાતિ પરિવારો પુરક રોજગારી મેળવી શકે છે, તેમ જણાવી છેવાડાના માનવીઓ માટે ચિંતિતિ રાજ્ય સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો. આદિજાતિ સમાજ માટે ગર્ભાધાનથી લઈને મૃત્યુપર્યંતની વિવિધ યોજનાઓ અમલી બનાવીને સંવેદનશીલ રાજ્ય અને કેન્દ્ર સરકાર આદિવાસી સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે, ત્યારે વિનામૂલ્યે આપતા ફળાઉ રોપાઓનો સુપેરે ઉછેર કરીને પુરક આવક મેળવવાની હિમાયત કરતા ડાંગના ધારાસભ્ય વિજય પટેલે વિવિધ યોજનાકીય લાભો મેળવીને સૌને વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પ્રજાજનોને સુરક્ષિત થવા માટે સત્વરે વેક્સીન લેવાની પણ અપીલ કરી હતી.

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગની ન્યુ ગુજરાત પેટર્ન યોજનાના મેમ્બર દશરથ પવારે ફળાઉ રોપાઓના જતન સંવર્ધન થકી ભાવી પેઢી માટે આવકનો સ્ત્રોત ઉભો કરવાનો અનુરોધ કરતા, કોરોના મહામારી સામે સુરક્ષિત રહેવા માટે ફરજીયાતપણે સૌ પ્રજાજનો વેક્સીન લે તેવી અપીલ પણ કરી હતી. રોજગારીના સીમિત સાધનો વચ્ચે માંડ ખેતી અને પશુપાલન ઉપર જ નિર્ભર રહેતા ડાંગના પ્રજાજનો માટે ફળાઉ વૃક્ષો ભવિષ્યમાં આવકના સ્ત્રોત બની રહેશે, તેમ જણાવતા ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ અર્થ ઉપાર્જન કરતા ફળાઉ વૃક્ષોના જતન અને સંવર્ધન ઉપર પણ ભાર મુક્યો હતો.

આદિજાતિના પરિવારો માટે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વાડી યોજના સહીત શાકભાજીની ખેતી ઉપરાંત અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને આદિવાસી પરિવારોના વિકાસની તક ઉપલબ્ધ કરી છે, તેમ જણાવતા પ્રાયોજના વહીવટદાર કે.જિ.ભગોરાએ વૃક્ષ ઉછેર સાથે આજીવિકા વૃદ્ધી સહીત વન પર્યાવરણનું જતન કરવાની પણ હિમાયત કરી હતી. ડાંગ જિલ્લાના સાકરપાતળની પ્રાથમિક શાળા, અને સુબીરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલા કાર્યક્રમમા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.ચૌધરી, સબ ડીએફઓ રોહિત ચૌધરી, સામાજિક કાર્યકરો સર્વ કિશોર ગાવિત, રાજેશ ગામીત સહીત અગ્રણી કાર્યકરો, નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગામીત, વઘઈ મામલતદાર સહીતના પ્રસાશનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story