Connect Gujarat
ગુજરાત

સરકારનો મહત્વનો નિર્ણય: 8 મહાપાલિકા, 2 નગરપાલિકામાં પૂર્વવત થશે આ યોજનાa

રાજ્યની શાળામાં બાળકોના મધ્યાહન ભોજનને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 29 માર્ચથી રાજ્યમાં મધ્યાહન ભોજન આપવાની યોજના પૂર્વવત થશે.

સરકારનો મહત્વનો નિર્ણય: 8 મહાપાલિકા, 2 નગરપાલિકામાં પૂર્વવત થશે આ યોજનાa
X

રાજ્યની શાળામાં બાળકોના મધ્યાહન ભોજનને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 29 માર્ચથી રાજ્યમાં મધ્યાહન ભોજન આપવાની યોજના પૂર્વવત થશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી 29 માર્ચથી રાજ્યની 8 મહાપાલિકા અને 2 નગરપાલિકામાં આ યોજનાની શરુઆત કરવામાં આવશે.

ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં જીતુ વાઘાણીના હસ્તે પુનઃ મધ્યાહન યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. એટલે કે આવતી કાલથી શહેરની સરકારી શાળાઓમાં બાળકોને બપોરે ભોજન મળતુ થઇ જશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતમાં આવતી કાલે મધ્યાહન યોજનાનો પુનઃ પ્રારંભ કરાશે. ત્યાર બાદ ગુરુવારથી તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ યોજના શરુ થશે. છેલ્લા બે વર્ષથી કોરોના હોવાને કારણે શાળાઓ બંધ હતી. ઓનલાઇન શાળા ચાલી રહી હતી. જેથી મધ્યાહન ભોજન યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે શાળા રાબેતા મુજબ શરુ થતા વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યસરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છેકે કોરોનાને કારણે આ યોજના બંધ હતી પરંતુ વિદ્યાર્થીઓને 2 લાખ 60 હજાર મેટ્રિક ટન જેટલુ અનાજનું વિતરણ કરવામાં આવ્યુ છે તેમજ મધ્યાહન ભોજન માટે રાજ્ય સરકારે 1400 કરોડની જોગવાઇ પણ કરી છે.

Next Story