Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર વઢવાણના બલદાણા ગામે ઘર કંકાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

સુરેન્દ્રનગરના વઢવાણમાં ઘર કંકાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યું મૂળ મધ્યપ્રદેશ અને વઢવાણના બલદાણા ગામે ખેતમજૂરી કરવા આવેલી 19 વર્ષની મહિલાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર વઢવાણના બલદાણા ગામે ઘર કંકાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
X

સુરેન્દ્રનગરના વઢવાણમાં ઘર કંકાસથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યું મૂળ મધ્યપ્રદેશ અને વઢવાણના બલદાણા ગામે ખેતમજૂરી કરવા આવેલી 19 વર્ષની મહિલાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચા સુરેન્દ્રનગર જિલ્લામાં અપમૃત્યુના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. અને એમાય ખાસકરીને ગળે ફાંસો ખાઇને કે ઝેરી દવા પી અને જીવન ટૂંકાવવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. જેને લઇને સમાજમાં એક આ ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બલદાણા ગામે વધુ એક આત્મહત્યાના બનાવ સામે આવ્યો છે. જેમાં સામાન્ય બાબતે મહિલાએ ગળે ફાંસો ખાઇ અને પોતાના ઘરમાં જ આત્મહત્યા કરી લીધી છે. જેને લઈને ચકચાર મચી જવા પામી છે..

આ બનાવ અંગેની મળતી વિગત અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે ઘર કંકાસના કારણે 19 વર્ષની મહિલાએ ગળે ફાંસો ખાઇ અને આત્મહત્યા કરી લીધી છે. ત્યારે બે મહિના પહેલા લગ્ન કરી અને મધ્યપ્રદેશથી સુરેન્દ્રનગર આવ્યા હતા. સગપણ કર્યા બાદ બે વર્ષ સુધી સગાઈ રહી તેમ છતાં પણ પરિવારજનો લગ્ન કરી ના આપતા હોય જેને લઇને અપહરણ કરી અને યુવતીને યુવક સુરેન્દ્રનગર ખાતે લાવ્યો હતો ત્યાર બાદ લગ્ન કરી અને બે મહિના બે મહિનાથી ઘર કંકાસ અને મારા મારી તેમજ બોલાચાલી થતી હોવાના કારણે મહિલા માનસિક રીતે કંટાળી ગઈ હતી. અને અંતે રાત્રિ દરમિયાન ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મધ્યપ્રદેશમાં રહેતા યુવતીના પિતાને સહિતનો પરિવાર સુરેન્દ્રનગર ખાતે દોડી આવ્યો છે. આ મામલે વઢવાણ પોલીસને જાણ થતા વઢવાણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે. અને વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે...

Next Story