Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં આજે 8338 નવા પોઝિટિવ કેસ નોધાયા, 38 દર્દીઓના થયા મોત

રાજ્યમાં 24 કલાકમાં 8,338 નવા કેસ નોંધાયા

રાજ્યમાં આજે 8338 નવા પોઝિટિવ કેસ નોધાયા, 38 દર્દીઓના થયા મોત
X

ગુજરાતમાં હવે કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. ત્રીજી લહેરમાં ડાઉનફોલ બાદ ફરી નવા કેસમાં વધારો શરૂ થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 8,338 નવા કેસ નોંધાયાછે. તો પહેલીવાર ત્રીજી લહેરમાં રાજ્યમાં 38ના મોત થયા છે. જ્યારે 16,629 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 92.65 ટકા થઈ ગયો છે. સતત ત્રીજા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે.તેમજ વેન્ટિલેટર પરના દર્દી ઘટીને 229 થઈ ગયા છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં ૨૬૫૪ કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં ૨૫૭ કેસ તો રાજકોટ શહેરમાં ૪૭૫ કેસ, વડોદરા શહેરમાં ૧૭૧૨ કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં ૨૨૩કેસ, ભાવનગર શહેરમાં ૮૦ કેસ સામે આવ્યા છે.

Next Story