Connect Gujarat
ગુજરાત

જામનગર : સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માંગ, બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પાઠવાયું

સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

જામનગર : સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માંગ, બ્રહ્મ સમાજ દ્વારા આવેદન પાઠવાયું
X

જામનગર જિલ્લા અને શહેર સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર તથા કચ્છ દ્વારા રાજકીય સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

જામનગરની રાજકીય સંસ્કૃત પાઠશાળા 152 વર્ષ જૂની શૈક્ષણિક સંસ્થા છે. આ પાઠશાળામાં અનેક લોકો અભ્યાસ કરી ચૂક્યા છે. સમાજમાં વિદ્યાર્થીઓનું ઘડતર, સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષણ પણ આ પાઠશાળાઓએ કર્યું છે, ત્યારે હાલ રાજકીય સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવાની માંગ સાથે જામનગર જિલ્લા અને શહેર બ્રહ્મ સમાજ દ્વારા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન આપતી વેળા બ્રહ્મ અગ્રણી નરેન્દ્ર ત્રિવેદી, પ્રમુખ પ્રફુલ વાસુ અને કોર્પોરેટર આશીષ ત્રિવેદી સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story