Connect Gujarat
ગુજરાત

જામનગર : ઇન્ડિયન એરફોર્સ અને JMC દ્વારા યોજાય તિરંગા યાત્રા, 1 હજારથી વધુ શહેરીજનો જોડાયા...

જામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર : ઇન્ડિયન એરફોર્સ અને JMC દ્વારા યોજાય તિરંગા યાત્રા, 1 હજારથી વધુ શહેરીજનો જોડાયા...
X

આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધુ શહેરીજનો હાથમાં તિરંગો લઈને દોડ્યા હતા.

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત જામનગર ખાતે ઇન્ડિયન એરફોર્સ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આઇએએફ આઝાદી મહારન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 15 કિલોમીટરની મેરેથોન, 5 કિલોમીટરની રન અને 5 કિલોમીટરના વોકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જેએમસી કમિશનર વિજયકુમાર ખરાડી અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું તથા એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શહેરના લાખોટા તળાવેથી ઝંડી આપી પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અલગ અલગ કેટેગરીમાં 1 હજારથી વધુ શહેરીજનોએ ભાગ લીધો હતો, તેમજ એરફોર્સના યુધ્ધવીરો દ્વારા 15 કિલોમીટરના રનમાં ભાગ લેવામાં આવ્યો હતો. આ રન અને વોકિંગ દરમ્યાન શહેરીજનો હાથમાં તિરંગો લઈ શહેરના મુખ્ય માર્ગો પર દોડ્યા હતા.

Next Story