Connect Gujarat
ગુજરાત

ખેડા : સાંસદ સેવા કેન્દ્ર, નડીઆદમાં વધુ 2 ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરાયું...

ગુજરાત સરકાર અને જી.વી.કેઈ.એમ.આર.આઈના પી.પી.પી. ધોરણે ચાલતી ખિલખિલાટ વાનમાં 2 નવી વાન ઉમેરાતા કુલ 17 ખિલખિલાટ વાન માતાઓ અને બાળકોની સેવામાં ખેડા જિલ્લામાં કાર્યરત થશે.

ખેડા : સાંસદ સેવા કેન્દ્ર, નડીઆદમાં વધુ 2 ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરાયું...
X

ગુજરાત સરકાર અને જી.વી.કેઈ.એમ.આર.આઈના પી.પી.પી. ધોરણે ચાલતી ખિલખિલાટ વાનમાં 2 નવી વાન ઉમેરાતા કુલ 17 ખિલખિલાટ વાન માતાઓ અને બાળકોની સેવામાં ખેડા જિલ્લામાં કાર્યરત થશે. આજે લોકાર્પિત થયેલ 2 નવી ખિલખિલાટ વાનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને મુખ્ય દંડક પંકજ દેસાઈએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ વાન હલધરવાસ અને કપડવંજના સી.એચ.સી કેન્દ્રો પરથી સેવાઓ આપશે તેવું કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે સાંસદ સેવા કેન્દ્ર નડીઆદથી ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું. વર્ષ 2012થી અત્યાર સુધી ખેડા જિલ્લાના માતા અને બાળકોની સેવામાં ખિલખિલાટ વાન દ્વારા લાભાર્થીઓને સેવા પુરી પાડવામાં આવી છે. ડીસેમ્બર-2021માં આ લાભ અંદાજીત 6501 લાભાર્થીઓએ લીધો હતો. ખિલખિલાટ વાનની સેવાનો મુખ્ય ઉદેશ માતાઓ અને નવજાત શિશુઓને ગુણવત્તા યુક્ત સેવાઓ પુરી પાડવાનો છે. જિલ્લાને જરૂરિયાત મુજબ સરકાર દ્વારા વખતોવખત ખિલખિલાટ વાનની સંખ્યા વધારવામાં આવે છે. જે સરકાર આપણી સતત ચિંતા કરતી હોય એ ફલિત થાય છે. આ સેવાઓ હાલમાં સરકારની સિવિલ હોસ્પિટલ નડિયાદ અને જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેકવિધ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ ખેડા જિલ્લાની જનતાને મળી રહ્યો છે. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, અગ્રણી જયંત બોસ્કી, ૧૦૮ સેવાના મેનેજર સંદિપ ગઢવી સહીત અગ્રણી નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story